નીચે પડેલા માણસનો હાથ પકડીને ઉભો કરાય જેથી તે સૌની સાથે ચાલી શકે. ચાલવાનું તેણે પોતાને જ હોય.
નીચે પડેલા માણસને ઊચકીને માથે ન બેસાડાય. પછી તો તે ચાલવાનું જ ભૂલી જશે.
માથે ચઢેલો માણસ સ્વસ્થ થઇ જશે તોપણ કદી તે રાજી-ખુશીથી ઉતરવાનો નથી. માથે ચઢયાંનો આનંદ કોણ જતો કરે.
પડેલાને ઉઠાડો અને ચાલતો કરો. તેથી તે સ્વાવલંબી થશે. માથે ન ચઢાવો. તેથી તમે થાકી જશો અને પેલો ચાલવાનું ભૂલી જશે.